અમે નવું મકાન બનાવ્યું પરંતુ નવા મકાનમાં સ્થળાંતર કર્યા પછી, અમારા જીવનમાં અનેક સમસ્યાઓની શરૂઆત થઈ. અમારી આર્થિક સ્થિતિ કથળી ગઈ. અમે અમારા ઘરમાં જરૂરી હોય કે અમે ખરીદવા ઇચ્છતા હોય તે કશું ખરીદી શકતા નહીં. મૂળભૂત જરૂરીયાતો માટેની ખરીદી માટે પણ અમને દુઃખદાયક નિર્ણય લેવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. લોકો વિચારતા હતા કે અમે મકાન બનાવ્યું છે તેથી અમે આર્થિક રીતે સ્થિર છીએ જેથી તેઓ આવીને અમારી પાસે મદદ માંગતા. પરંતુ તેમને અમારી સ્થિતિ જણાવવી મુશ્કેલ હતી.
મેં લોન લીધી અને નાના પાયે વેપારમાં ભાગીદાર બની, પરંતુ તેનાથી અમને કોઈ કમાણી ન થઈ. ટૂંક સમયમાં તણાવ અને ચિંતા અમારા અંગત જીવનમાં પણ દેખાવા લાગી. મારા અને મારા પતિ વચ્ચે સતત ઝઘડા થતા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે અમને ખાવાનું નસીબ થતું નહતું અને એવા અનેક દિવસો જોયા કે જેમાં અમે ખાલી પેટે પાણી પીને સૂઈ ગયા હતા. દર રાતે મને અમારી સ્થિતિ વિષે વિચારીને રડવું આવતું.
અમને ખબર ન હતી કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું. એવું લાગતું કે, દરેક માર્ગે સમસ્યાઓ અમારી રાહ જોઈ રહી છે. અમે એટલા હતાશ થઈ ગયા કે વિચારવા લાગ્યા કે ભગવાનને અમને આ પીડાદાયક જીવન કેમ આપ્યું? એવો સમય હતો જ્યારે અમે અમારા જીવનનો અંત લાવવાનાં આરે હતા.
પછી એક દિવસ અમને માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન અંગે જાણવા મળ્યું. અમને લાગ્યું કે આ એકમાત્ર રસ્તો છે જે આપણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. અમે તરત જ માનવગુરુનાં અનન્ય જ્ઞાનનું પાલન કરવાનું નક્કી કર્યું. તેમના માર્ગદર્શનથી અમને પ્રેરણા મળી અને તેનાથી અમારા જીવનમાં આશાનો સંચાર થયો.
અમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનને અનુસરવાનું શરૂ કર્યું અને અમે અમારા જીવનમાં પરિવર્તન અનુભવ્યું અમારી આર્થિક સમસ્યાઓ હલ થઈ ગઈ. અમે નાના પાયે એક વેપાર શરૂ કર્યો અને તેમાં અમને મોટી સફળતા મળી અને ત્યારબાદ અમે વધુ ત્રણ વેપાર શરૂ કર્યા અને અમારા બધા વેપાર આજે સારો નફો કરી રહ્યા છે. અમારી પાસે ક્યારેય ફોર વ્હીલર નહોતું પરંતુ આજે અમે એક કાર ખરીદી છે. મારું સામાજિક કાર્ય પણ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું છે અને મને પુષ્કળ એવોર્ડ્સ અને સન્માન મળ્યા છે. મળેલા નફાથી અમે અમારું ઘર ચલાવીએ છીએ અને જરૂરતમંદ લોકોને મદદ પણ કરીએ છીએ. અન્ય લોકોને મદદ કરવાથી અમને અપાર આનંદ મળે છે અને તે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનને કારણે જ શક્ય બન્યું છે.
માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ કોઈ ધર્મ અથવા જાતિ પર આધારિત નથી. હું મુસ્લિમ હોવા છતાં માર્ગદર્શનનું પાલન કરું છું અને હું તમને ખાતરી આપી શકું છું કે તેમનું અનન્ય જ્ઞાન કોઈપણ ધર્મ, જાતિ અને દરજ્જો ધરાવતી આ વિશ્વની કોઈપણ વ્યક્તિ અપનાવી શકે છે. હું ઇચ્છું છું કે દરેક કુટુંબ માનવગુરુના અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનને અપનાવે અને સુખી જીવનનાં આનંદનો અનુભવ કરે. અમારી જરૂરનાં સમયે અમને મદદ કરવા માટે ગુરુજીનો આભાર.