જીવનમાં પૈસાનું એક ખાસ મહત્વ છે. તેને મુખ્ય ચાલક બળ પણ કહી શકાય. મનુષ્ય કુશળતા કેળવી, સખત મહેનત કરીને સંપત્તિ ઉભી કરવા પ્રયત્ન કરે છે. વધુ સંપત્તિ વ્યક્તિનાં સપના સાકાર કરવામાં મદદ કરે છે. જ્યારે નાણાં આવશ્યકતા કરતાં ઓછા હોય ત્યારે વ્યક્તિને અનેકવિધ પડકારોનો સામનો કરવો પડે છે.
નાણાંકીય સમસ્યાઓ કોઇને પણ આવી શકે છે. તે કોઈપણ કારણે ઊભી થઈ શકે જેમકે, નોકરી જતી રહેવી, લોન, તબીબી કટોકટી, વ્યવસાયમાં નુકશાન વગેરે જેવા વિવિધ કારણોસર ઉભી થઈ શકે છે પૈસાની સમસ્યાઓ હંમેશા ચિંતા, સંબંધની સમસ્યાઓ, તણાવ, ખરાબ આરોગ્ય વગેરે સાથે સંકળાયેલી હોય છે.
નાણાંકીય સમસ્યાને આપણે કેવીરીતે પરિભાષિત કરી શકીએ?
નાણાંકીય સમસ્યા આવે ત્યારે વ્યક્તિ તણાવમાંથી પસાર થાય છે. દેવાદાર દેવાંની ચુકવણી માટે અથવા દૈનિક જીવન અને તેને લગતી જરૂરિયાતો માટે નાણાંની વ્યવસ્થા કરવા સંઘર્ષ કરે છે. પૈસા અભાવ અને દુ:ખ સાથે સંકળાયેલા છે.
તેમાં, મિલકતમાં નુકશાન કે ઘટાડો થઈ શકે છે.
નાણાંકીય સમસ્યાઓ અને તકલીફનાં સંકેતો શું છે?
- રોકડ પ્રવાહમાં અડચણ
- આવક કરતાં જાવક વધારે
- લોકોને ઉધાર આપેલા પૈસા પાછા ન આવે
- દેવાંની ચૂકવણી કરવામાં મુશ્કેલી
- સતત તણાવને કારણે ચિંતા
માનવગુરુ અનુસાર, લોકોનો જ્યારે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક ન રહે ત્યારે તેઓ પૈસાની સમસ્યાઓનો સામનો કરે છે, પછી ભલે તેઓ હમેશા વૈશ્વિક ઉર્જાથી ઘેરાયેલા કેમ ન રહેતા હોય.
શું તે શક્ય છે…
- અવિરત રોકડ પ્રવાહ મેળવવો?
- સમય પર દેવાંની ચૂકવણી કરવી?
- લોકોને ઉધાર આપેલા પૈસા પાછા મેળવવા?
- આવક કરતાં ખર્ચ ઓછો થવો?
- નાણાંકીય સમસ્યાઓનાં કારણે ઉભી થતી ચિંતામાં ઘટાડો કરવો?
હા, તે ચોક્કસપણે શક્ય છે! જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં આવે ત્યારે નાણાંકીય સમસ્યા સરળતાથી ઉકેલાઈ જાય છે.
વૈશ્વિક ઉર્જા શું છે?
બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.
આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.
ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.
વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?
વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.
આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?
માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.
વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.
શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?
વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.
જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.
પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.
એકવાર, વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે પછી વૈશ્વિક ઉર્જા સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરતાં,
-
- વધુ પૈસા કમાવાની નવી તકો ઉપલબ્ધ થશે અને તમારી આવક કરતાં ખર્ચ ઓછો થશે તેમજ પૈસા બચાવી શકશો.
- જે લોકોએ તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે તેઓ પૈસા પરત કરવા પ્રોત્સાહિત થશે. અને જો એવું ન થાય તો તમને બીજા સ્રોત દ્વારા પણ નાણાં પ્રાપ્ત થશે.
- તમને હપ્તા ભરવા અને દેવાં મુક્ત થવા માટે અને દેવાંની સમયસર ચૂકવવા માટે મદદ અને પ્રોત્સાહન મળશે.
- સારું વળતર મેળવવા માટે કરેલા તમારા રોકાણો સારા પરિણામ અને નફો દર્શાવશે.
- તમે છેતરપિંડી અને વિશ્વાસઘાતની શક્યતાઓથી સુરક્ષિત રહેશો અને બચી શકશો
નાણાંકીય સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાનો છે. તે તમને નાણાંકીય સમસ્યાઓ ટાળવા અને નાણાંકીય સ્થિરતાની સ્થિતિ સુધી પહોંચવા માટે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે.

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.