'' જન્મભૂમિ'' ની સફર

તેમનો જન્મ કર્ણાટકનાં બાગલકોટ જિલ્લામાં સ્વર્ગસ્થ શ્રી વિરૂપાક્ષપા અને શ્રીમતિ નિલમ્મા આંગડીનાં ઘરે થયો હતો. તેઓ નાનપણથી જ પ્રેરિત હતા અને રાષ્ટ્ર માટે કંઇક કરવા માટે તેમજ તેમના જીવનને મૂલ્યવાન બનાવવા ઇચ્છતા હતા

તેમનાં બાળપણ દરમિયાન, ગુરુજીની વસાહતમાં એક મંદિર હતું. મંદિરનાં ખર્ચને પહોંચી વળવા કોલોનીનાં તમામ ઘરેથી પૈસા એકત્ર કરવા જરૂરી હતા. તેમની વસાહતમાં આશરે 50 થી 60 ઘર હતા. વસાહતમાંથી કોઈ પણ આગળ આવીને આ ઘરોમાંથી પૈસા એકત્ર કરવા તૈયાર નહોતું કારણ કે તેને એક સામાન્ય કામ માનવામાં આવતું હતું. ત્યારબાદ ગુરુજી આગળ આવ્યા અને તેમણે અને તેમના એક નજીકનાં મિત્રએ આ જવાબદારી ઉપાડી લીધી. દરરોજ શાળા પછી, તેમણે આ ઘરોમાંથી નાણાં એકત્રિત કર્યા જેથી મંદિરના ભંડોળમાં મોટાપાયે મદદ મળી.

દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવાના ઉત્સાહ અને જુસ્સા સાથે, માનવગુરુ મૂંઝવણમાં હતા કે તેમણે પોતાના રાષ્ટ્રની સેવા કરવા માટે કયા માર્ગને અપનાવવો જોઈએ. તેઓ માધ્યમિક શાળા પછી, સૈન્યની પસંદગી પ્રક્રિયામાંથી પસાર થયા હતા, પરંતુ શારીરિક પરીક્ષા દરમિયાન તેમની પસંદગી ન થતાં તેમને આંચકો લાગ્યો હતો. તેમનું વજન ઓછું હોવાથી તેમની પસંદગી કરવામાં આવી ન હતી. તેઓ ઘણાં અસ્વસ્થ થઈ ગયા હતા અને તેમને વિચાર આવતો કે, “જ્યારે હું રાષ્ટ્ર માટે મારું જીવન સમર્પિત કરવા માટે આતુર છું ત્યારે મને કેમ પસંદ કરવામાં આવ્યો નહી?”

અસ્વીકારથી તેઓ તેમના ધ્યેયથી વિચલિત ન થયા અને દ્રઢનિશ્ચય અને લગનથી તેમના જીવનમાં આગળ વધ્યા. તેમણે શિક્ષણમાં આગળ વધી કર્ણાટકનાં બાગલકોટ જિલ્લામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું. જેમણે તેમને તેમના શિક્ષણકાળ દરમ્યાન માર્ગદર્શન આપ્યું તે શિક્ષકો પ્રત્યે તેઓ હંમેશા કૃતજ્ઞતાની ભાવના ધરાવતા હતા, જે તેમના દિલમાં આજે પણ છે.

'' કર્મભૂમિ '' ની સફર

કર્મભૂમિમાં પ્રવાસ

તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મુંબઈ તેમની કર્મભૂમિ બનશે. તેઓ સ્નાતક થયા પછી, તેના પિતરાઇ ભાઇ કે જેઓ મુંબઇ રહેતા હતા તેમણે તેમને ત્યાં કારકિર્દી શરૂ કરવા આગ્રહ કર્યો. તેમના પિતરાઇ ભાઈએ માનવગુરુનાં પિતા અને ભાઈને પણ તેમને સપનાનાં શહેર મુંબઈ મોકલવા માટે મનાવી લીધા. તેમનો પરિવાર આ વાતે સહમત થયો અને તેમનું મન બનાવી લીધું પણ માનવગુરુ સાંભળીને વિચલિત થઈ ગયા કેમકે આ નવા શહેરની માતૃભાષા વિષે તેઓ સારીરીતે માહિતગાર નહતા. અને તેઓ મૂંઝવણમાં હતા કે તેઓ મુંબઈ તેમના જીવનનું સંચાલન કેવીરીતે કરશે.

અંતે તેઓ ખિસ્સામાં થોડી મૂડી અને મનમાં મોટા સપના લઈને મુંબઇ આવ્યા. એક કન્સ્ટ્રક્શન કંપનીમાં એન્જિનિયર તરીકે તેમની નિમણૂક થઈ. તેમના સમર્પણ, પ્રામાણિકતા અને સખત મહેનતનાં કારણે કંપનીમાં ઝડપથી તેમની તરક્કી થઈ અને તેમને સ્વતંત્ર પ્રોજેક્ટ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. તેમણે બે વર્ષમાં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો ત્યારબાદ નોકરીમાંથી રાજીનામું આપી અને પોતાની કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી.

એક મજબૂત અનુભવ અને અઢળક આત્મવિશ્વાસ સાથે, તેમણે સફળતાપૂર્વક પોતાની બાંધકામ કંપનીની સ્થાપના કરી અને ખૂબ જ ટુંકાગાળામાં સમૃદ્ધિ, વિકાસ અને કીર્તિ પ્રાપ્ત કરી. તેમની આત્મસ્ફુરણાએ તેમણે અહેસાસ કરાવ્યો કે, પૈસા કમાવવા કરતાં સમાજને પરત કરવું વધુ મહત્વનું છે. આ વાતને ધ્યાનમાં રાખીને, તેમણે અને તેના મિત્રોએ શરણસંકુલ ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી. તેઓ આ ટ્રસ્ટનાં સ્થાપક ટ્રસ્ટી હતા. આ ટ્રસ્ટ સમાજનાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની સહાય કરી ટેકો આપી રહ્યા છે.

વર્ષ 1998માં બધુ સરળતાથી ચાલી રહ્યું હતું તે સમયે વેપારમાં કોઈએ તેમની સાથે રૂ. 15 લાખની છેતરપિંડી કરી. પરિસ્થિતી ત્યારે વધુ વણસી જ્યારે થોડા જ દિવસનાં ગાળામાં ફરી તેમની સાથે રૂ. 20 લાખની છેતરપિંડી થઈ. તે ગાળામાં આ એક બહુ મોટી રકમ હતી અને તેના કારણે તેમની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઇ હતી. તેઓ ઘણા વ્યથિત થઈ ગયા અને વિચારવા લાગ્યા, “જ્યારે મેં મારા જીવનમાં ક્યારેય કોઈની સાથે દગો નથી કર્યો ત્યારે મારી સાથે આવું કેમ થયું?”

પવિત્ર ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે, “તમને સત્ય મળતું નથી પરંતુ સત્ય તમને શોધે છે.”

આ સમય દરમિયાન તેમને અવારનવાર હોકાયંત્ર અને ઘરના નકશાનાં સપના આવવાનું શરૂ થયું. તેમને આશ્ચર્ય થયું કે, શા માટે તેમને વારંવાર આ સપનું આવે છે. તેમની ઇજનેરી પૃષ્ઠભૂમિ સાથે, તેઓ સપનામાં આવતા હોકાયંત્ર અને ઘરના નકશાનાં મહત્વનું અર્થઘટન કરી શકતા હતા.

વળાંક

તેમની આત્મસ્ફુરણાએ તેમને અહેસાસ કરાવ્યો કે, આપણી સમસ્યાઓ માટે બીજાઓને દોષિત ઠેરવવા કરતાં, સમસ્યાઓનું મૂળ કારણ શોધવું મહત્વપૂર્ણ છે. છેવટે તેમને જવાબ મળ્યો – “ખુશી ફક્ત આપણી ભીતર જ નહીં પણ આસપાસ પણ હોય છે.” આપણી આસપાસની જગ્યા તે સ્થાન છે જ્યાં આપણે આપણો મોટાભાગનો સમય પસાર કરીએ છીએ.

કુલ 24 કલાકમાંથી, આપણે આપણાં ઘર / કાર્યસ્થળમાં 20 કલાક (80 થી 85%) પસાર કરીએ છીએ. તેથી બંને સ્થાનો દરેકના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સિવિલ એન્જીનિયર તરીકે તેમણે હજારો ગામ અને નગરોની મુલાકાત લીધી., તેમણે ઘરોની બાંધણી અને તેમને અનુભવાતી જીવનને લગતી સમસ્યાઓનું પણ નિરીક્ષણ કર્યું. તેમને જાણવા મળ્યું કે, દરેક જગ્યા એકબીજાથી નોખી હતી.

એક કુટુંબમાં જ્યારે પિતા ઘર ચલાવતા હતા, ત્યારે તેમણે ઘણા પૈસા અને ખ્યાતિ મેળવી હતી, ત્યારબાદ નિવૃત્તિ પછી જ્યારે પુત્રએ ઘર સંભાળ્યું ત્યારે તેને એ પરિણામ ન મળ્યું ભલે તેઓ એક જ ઘર ચલાવતા હતા. દીકરાએ પૈસા અને કીર્તિ બંને ગુમાવી અને તેનાથી ઊલટું પણ જોવા મળ્યું. ઘણા પરિવારોમાં તેમને સમાન પરિણામો જોવા મળ્યાં.

વર્ષ 2000માં માનવગુરુને વિશ્વનાં દરેક પરિવારનાં માર્ગદર્શન માટે અનન્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે અને તે પ્રાચીન ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ પર આધારિત છે. તે વૈશ્વિક ઉર્જા સાથે જોડાવા માત્રથી 9 થી 180 દિવસની અંદર દરેક કુટુંબને ભલે તે કોઈપણ ધર્મનું હોય આનંદમય જીવન અથવા સુખી જીવન માટેનો માર્ગ દર્શાવે છે.

માનવ ગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનનું સંપૂર્ણરીતે પાલન કર્યા પછી, કુટુંબનો દરેક વ્યક્તિ ફક્ત 9 થી 180 દિવસમાં દુ:ખમય જીવનમાંથી સુખમય જીવન અથવા નાખુશ જીવનથી આનંદીત જીવનમાં પરીવર્તનનો અનુભવ કરવાનું શરૂ કરે છે.

આમ, માનવગુરુએ પોતાના અનન્ય જ્ઞાનની સફરની શરૂઆત કરી. પ્રથમ, તેમણે પોતે તેમનાં અનન્ય જ્ઞાનની શક્તિનો અનુભવ કર્યો. તેમના મિત્રોએ તેમનામાં થતા ફેરફારો તેમજ તેમને સુખી જીવન તરફ ઉપાંતરિત થતાં જોયા. ત્યારબાદ તેમણે માનવગુરુનાં અનન્ય જ્ઞાનને અનુસરવાનું શરૂ કર્યું અને ફક્ત 9 – 180 દિવસમાં જ સુખી જીવનનો અનુભવ કર્યો.”

'' વસુધૈવ કુટુમ્બકમ્ '' તરફની સફર

'' વસુધૈવ કુટુમ્બકમ્ '' તરફની સફર

જ્યારે વિશ્વનું દરેક કુટુંબ ભલે પછી તે કોઈપણ ધર્મનું હોય વૈશ્વિક ઉર્જા સાથે જોડાઈ આત્મનિર્ભર કુટુંબ બનશે, ત્યારે જ આપણે આત્મનિર્ભર વિશ્વ પ્રાપ્ત કરી શકીશું.

તેમણે અનુભવ્યું કે, ફક્ત એક જ વ્યક્તિ દ્વારા અનન્ય જ્ઞાનને ફેલાવવું અને વિશ્વનાં દરેક પરિવાર સુધી પહોંચવું શક્ય નથી. તેમણે “સી જી પરીવાર” નામની વૈશ્વિક સંસ્થા શરૂ કરી. આ સંસ્થા હેઠળ તેમણે મુઠ્ઠીભર શિષ્યોને સમગ્ર વિશ્વમાં માનવજાતની સેવા કરવા તાલીમ આપી. હાલમાં, 1000 થી વધુ શિષ્યો આ ઉમદા હેતુ માટે માનવગુરુ સાથે કામ કરી રહ્યા છે.

કરોડથી વધુ પરિવારોએ માનવગુરુનાં અનન્ય જ્ઞાનની શક્તિનો અનુભવ કર્યો છે અને આજે તેઓ સુખી જીવન વ્યતિત કરે છે અને માનવગુરુ સંસ્થા દ્વારા દુનિયાનાં દરેક પરિવારનાં જીવનમાં પરિવર્તન લાવવાની સફર હંમેશા ચાલુ રહેશે.

Facebook Twitter Instagram Linkedin Youtube