વેપારમાં નફો થવો જરૂરી છે. જે કંપનીઓ નફાકારક ના હોય તે લાંબા સમય સુધી ટકી શકશે નહીં. જે વેપાર નહીં નફો, નહીં નુકશાન સુધી પણ ન પહોચી શકે, તો તેને ચાલુ રાખવો હિતાવહ નથી.
વેપારમાં સારી વૃદ્ધિ માટે સ્પષ્ટ વ્યૂહરચના અને આગળ વધવાની સંપૂર્ણ યોજના આવશ્યક છે. કોઈપણ વેપારમાં બજારનું તલસ્પર્શી સર્વેક્ષણ અને અનન્ય ઉત્પાદન વેચાણ કેન્દ્રના આધારે નક્કર ઉત્પાદન હોવું જરૂરી છે.
વેપારનાં વિકાસમાં કયા પ્રકારની સમસ્યાઓ આવે છે?
- વેપારમાં તકો ગુમાવવી
- તમે આપેલાં નાણાં પરત ન મળવા
- ધંધામાં કમાણી ન કરવી
- લોન અને દેવાની ચુકવણી કરવામાં અસમર્થ
- વેપારમાં સહયોગીઓનો, વિક્રેતાઓની અને બજારમાં વિશ્વસનીયતા ગુમાવવી
- વેપારને આગળ વધારવા માટે કાર્યશીલ મૂડી એકઠી કરવામાં અસમર્થ

માનવગુરુ અનુસાર, જ્યારે વ્યક્તિનો વૈશ્વિક ઉર્જાથી સંપર્ક તૂટી જાય છે ત્યારે તે ધંધામાં મુશ્કેલીઓનો સામનો કરે છે પછી ભલે ને તે હમેશાં તેનાથી ઘેરાયેલો રહેતો હોય.
શું તે શક્ય છે… ..
- વેપારમાં સારી તકો મેળવવી?
- લોકોને આપેલાં નાણાં પાછા મેળવવા?
- ધંધામાં નફો કરવો?
- તમામ લોન ચુકવી દેવાં મુક્ત થવું?
- વેપારમાં ભાગીદારો અને સહયોગીઓ સાથે સારા સંબંધો જાળવવા?
- સારી પ્રતિષ્ઠા અને સારી છાપ જાળવવી?
- વેપારને લગતા કાનૂની મુદ્દાઓ હલ કરવા?
હા, તે ચોક્કસપણે શક્ય છે! જ્યારે તમે વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં આવશો ત્યારે વેપાર સંબંધિત બધી સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે.
વૈશ્વિક ઉર્જા શું છે?
બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.
આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.
ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.
વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?
વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.
આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.
આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?
માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનનાં તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.
વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.
શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?
વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.
જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.
પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.
એકવાર, વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે પછી વૈશ્વિક ઉર્જા સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરતાં,
- વેપારની નવી તકો ધરાવતા તમામ સ્થાનોથી તમે માહિતગાર થશો.
- તમારા વેપાર માટે તમે યોગ્ય લોકો સાથે જોડાશો.
- દેણદારો તમારી પાસેથી લીધેલા પૈસા પાછા ચૂકવવા માટે પ્રોત્સાહિત થશે.
- તમે તમારા વેપારમાં નફો મેળવશો.
- તમે લોન ચૂકવવા માટે પ્રોત્સાહિત થશો. તમને હપ્તાઓની ચૂકવણી કરવામાં સહાય પ્રાપ્ત થશે
- તમને તમારા સહયોગીઓ, ભાગીદારો, વિક્રેતાઓ અને વેપારીઓ સાથે સારા સંબંધો જાળવવામાં મદદ મળશે. જે તમને વેપારમાં વૃદ્ધિ માટે સારું વાતાવરણ બનાવવામાં મદદ કરશે.
- તમારી સારી પ્રતિષ્ઠા વધશે અને છબી અકબંધ રહેશે. કાનૂની બાબતોને હલ કરવામાં પણ તમને સહાય પ્રાપ્ત થશે.

વૈશ્વિક ઊર્જાનાં સંપર્કમાં આવી તમારા વ્યાપારમાં નુકસાનને ટાળી નફામાં વૃદ્ધિ લાવો. આ નિવારણ કાયમી અને નક્કર છે તે ભવિષ્યમાં વેપારને લગતા નિર્ણયોને સરળ બનાવે છે.

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.