તેમણે વધુ લોકો સુધી પહોંચી માનવતાની સેવા માટે કાર્યક્રમો શરૂ કર્યા:
- જીવન સમસ્યા મુકત ગ્રામ
- શિક્ષણ સમસ્યા મુકત ગ્રામ
- સામુહિક વિવાહ
- ખેડૂત આત્મહત્યા નિવારણ
માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજી સિવિલ એન્જિનિયર હતા તેઓએ વિશ્વભરમાં ઘણા પરિવારોને ઉમદા સેવા પૂરી પાડી છે.
તેમણે વધુ લોકો સુધી પહોંચી માનવતાની સેવા માટે કાર્યક્રમો શરૂ કર્યા:
માનવગુરુની સમજ પ્રમાણે જ્યાં સુધી માનવઅભિવૃદ્ધિ ન થાય ત્યાં સુધી, ગ્રામઅભિવૃદ્ધિ પર અસરકારક રીતે કાર્ય કરવું શક્ય નથી. જ્યારે દરેક કુટુંબ પોતાના પગ પર ઉભા રહેવા માટે સક્ષમ બને છે, અથવા જ્યારે દરેક કુટુંબ આત્મનિર્ભર કુટુંબ બની જાય છે, ત્યારે જ આપણે ગ્રામઅભિવૃદ્ધિ પર અસરકારક રીતે કાર્ય કરી શકીએ છીએ.
માનવગુરુએ 2015માં કર્ણાટકનાં બેલાગવી જિલ્લાનાં ગોડચી ગામને દત્તક લીધું હતું. જેના પગલે તે દત્તક લેવાનો આ કાર્યક્રમ મેળવનાર ભારતનું પ્રથમ મોડેલ ગામ બન્યું છે. દત્તક લીધાનાં 9 મહિનામાં ગામમાં સામાજિક અને આર્થિક રૂપે પરિવર્તન આવ્યું છે.
માનવગુરુએ તેમનાં અનન્ય જ્ઞાનનાં માધ્યમથી 640 પરિવારોને વિનામૂલ્યે માર્ગદર્શન આપ્યું. જેમણે તેમના માર્ગદર્શનને યોગ્ય રીતે અનુસરણ કર્યું, તેઓએ 9-180 દિવસમાં તેમના જીવનનાં દરેક તબક્કે સકારાત્મક ફેરફારોનો અનુભવ કર્યો છે. બાળકોએ તેમના શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી, યુવાનોને સારી નોકરી અને કારકિર્દીની તકો મળી, ઉદ્યોગપતિઓ તેમનાં વ્યવસાયમાં સફળ થયા, ખેડુતોએ તેમની ખેતીમાં વૃદ્ધિ અનુભવી, પરિવારોમાં શાંતિપૂર્ણ સંબંધો વિકસ્યા, લોકોએ વિપુલ સંપત્તિનો અનુભવ કર્યો, ગ્રામજનોએ સારું આરોગ્ય મેળવ્યું અને લગ્ન સંબંધિત વિલંબ સહિતની સમસ્યાઓનો હલ આવી ગયો.
ગ્રામીણ બાળકોનાં જ્ઞાનને સમૃદ્ધ બનાવવા માટે, માનવગુરુએ 2018 માં વંચિત વિદ્યાર્થીઓ માટે એક શાળા શરૂ કરી જે કર્ણાટકનાં ધારવાડ જિલ્લાનાં કલઘાટગી તાલુકાનાં બી. શિગીગટ્ટી ગામમાં બાલમંદિરથી ધોરણ 10 સુધીનું શિક્ષણ પ્રદાન કરે છે. એક અનોખું વાતાવરણ, જ્યાં માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ) ની મદદથી બાળકો માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે પણ વિકાસ પામે તે સુનિશ્ચિત કરવાનું છે, જે દરેક વિદ્યાર્થીને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં લાવવામાં મદદ કરે છે.
આ પહેલનાં ભાગ રૂપે માનવગુરુ સમાજનાં વંચિત વર્ગનાં યુગલોનાં ગૌરવપૂર્ણ રીતે લગ્ન કરે અને સુખી લગ્ન જીવન જીવે તે માટે આશીર્વાદ અને માર્ગદર્શન આપે છે.
કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હોવા છતાં, ખેડુતો અને તેમનાં પરિવારોની તકલીફનાં સ્તરમાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગે છે. જેનાથી ખેડૂતો દબાણમાં આવી ગયા છે અને આત્મહત્યા પણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજતાં માનવગુરુએ મોટા પાયે ખેડૂતો સુધી પહોંચવાનો કાર્યક્રમ શરૂ કર્યો અને તેમનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન દ્વારા ખેડુતોને મદદ કરવા પહેલ કરી. માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનને અનુસર્યા પછી, ખેડૂતોએ 9 થી 180 દિવસમાં સુખી જીવનનો અનુભવ કરવાનું શરૂ કર્યું. તે તેમને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે વિકાસ કરવામાં મદદ કરે છે, જે તેમનામાં આવતા આત્મહત્યાનાં વિચારને અટકાવે છે.