અભ્યાસ કરતી વખતે એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો કરવાની સરળ રીત

અભ્યાસ કરતી વખતે એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો કરવાની સરળ રીત

વિદ્યાર્થીને તેના અભ્યાસ દરમ્યાન માહિતી વાંચીને તેને યાદ રાખી તે જ્ઞાનનો ઉપયોગ તેના અભ્યાસ દરમ્યાન તેમજ ભવિષ્યમાં પણ કરવાનો હોય છે. તમામ પ્રકારનાં અભ્યાસ માટે એકાગ્રતા જરૂરી છે. શીખવાની પ્રક્રિયા દ્વારા મગજમાં જે માહિતીનો સંગ્રહ થાય તેને જ્ઞાન કહે છે.

એકાગ્રતા શિસ્ત અને નિયમિત અભ્યાસ દ્વારા વિકસાવવી પડે છે. અભ્યાસ અને રમતનાં સમય વચ્ચે સંતુલન હોવું જોઈએ. યોગ્ય આયોજન સાથેનું વાંચન વિદ્યાર્થીને વધુ સારી રીતે શીખવામાં મદદ કરે છે અને તે શીખી ગયેલી બાબતોને યાદ રાખવામાં અને તેને જ્યારે આવશ્યક્તા હોય ત્યારે પુન: યાદ કરવામાં મદદ કરે છે.

શિક્ષણ દરમ્યાન આવતા પડકારો:

  • અભ્યાસમાં રસ અને એકાગ્રતાનો અભાવ
  • આળસ, વિલંબ તેમજ ધ્યાનમાં પડતી ખલેલ
  • પ્રવેશ પરીક્ષાઓ પાસ કરવામાં અને અપેક્ષા મુજબ ગુણ મેળવવામાં નિષ્ફળતા
  • પસંદગીની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળતા
  • વિદેશમાં વિશિષ્ટ અભ્યાસક્રમો દરમ્યાન અભ્યાસમાં આવતા અવરોધો
  • બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ આદતો, માદક દ્રવ્યોનું સેવન
  • શીખવા માટે અયોગ્ય વાતાવરણ

હિપ્પોકેમ્પસ અને યાદદાસ્ત વચ્ચે શું સંબંધ છે.

હિપ્પોકેમ્પસ મગજનું એક મુખ્ય ઘટક છે. તે દીર્ઘકાલીન સ્મૃતિ અને દિશા-નિર્દેશમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે અભ્યાસ એટલે કે શીખવાની પ્રક્રિયા અને યાદશક્તિનું કેન્દ્ર છે. જો બાહ્ય આઘાત, ચેતાતંત્ર સંબંધી (neurological) અને માનસિક વિકૃતિઓથી તેને નુકસાન થાય તો તે કાર્યક્ષમ રીતે કામ કરતું નથી.

માનવગુરુ અનુસાર, વિદ્યાર્થીઓનો જ્યારે વૈશ્વિક ઉર્જા સાથેનો સંપર્ક તૂટી જાય ત્યારે તેઓ શિક્ષણ સંબંધી સમસ્યાઓનો સામનો કરે છે, પછી ભલે તે દરેક સમયે વૈશ્વિક ઉર્જાથી ઘેરાયેલા કેમ ન રહેતા હોય.

તો શું તે શક્ય છે ………

  • ઝડપથી શિખીને તેને યાદ રાખવાનાં સ્તરમાં સુધારો કરવો?
  • રસ અને શિસ્ત વિકસાવી વિક્ષેપો ટાળવા?
  • બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ આદતો દૂર કરવી?
  • ધ્યાન કેન્દ્રિત કરી પરીક્ષામાં અપેક્ષા મુજ્બ ગુણ મેળવી પાસ થવું?
  • પસંદગીની કોલેજમાં સરળતાથી પ્રવેશ મેળવી અભ્યાસ કરવો ?

હા, તે ચોક્કસપણે શક્ય છે! જ્યારે શીખનાર વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે જોડાય છે, ત્યારે શિક્ષણમાં સમસ્યાઓ જેવી કે એકાગ્રતાનો અભાવ, તેને યાદ રાખવું અને આવશ્યક્તા વખતે યાદ આવવું, પ્રવેશમાં અવરોધો, શિસ્તને લગતા પ્રશ્નો સરળતાથી હલ થાય છે.

વૈશ્વિક ઉર્જા શું છે?

બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.

આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.

ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.

વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હમેશાં આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?

વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.

આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.

વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.

શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?

વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.

જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.

પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.

વૈશ્વિક ઉર્જા અસરગ્રસ્ત હિપ્પોકેમ્પસ (મગજનું એક ઘટક) ને તેની કામગીરી સામાન્ય સ્તરે પાછી લાવવામાં મદદ કરે છે, તે શિખેલી વસ્તુઓ યાદ રાખવામાં, માહિતીને વધુ સારી રીતે જાળવી રાખવા અને એકંદર યાદદાસ્તનાં સ્તરમાં સુધારો કરવામાં મદદ કરે છે. આગામી 9 થી 180 દિવસની અંદર વ્યક્તિ સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે જેમ કે::

  1. શીખવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રત્યે રૂચી વધે છે.
  2. અભ્યાસનું મહત્વ અને તેની સાથે સંકળાયેલ કર્તવ્યની ભાવનાનો અહેસાસ થશે.
  3. જે વિદ્યાર્થીને વધુ સારી રીતે અભ્યાસ કરવા અને ઉત્તમ ગુણ સાથે વર્ગમાં પાસ થવા પ્રેરે છે.
  4. ઝડપથી યાદ રાખી તેમજ શિખેલું પુન: યાદ કરવાની શક્તિનું સ્તર વધે છે.
  5. પસંદગીની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવી શકશે.
  6. વિદેશમાં વિશિષ્ટ અભ્યાસક્રમો માટે અવરોધો દૂર કરવામાં મદદ કરશે.
  7. IAS, IPS, IFS, CA અથવા KAS, KPS તેમજ અન્ય કોઈ પ્રવેશ પરીક્ષાઓ પાસ કરવાનો ધ્યેય પ્રાપ્ત કરી શકાશે.
  8. શીખનારને ખરાબ ટેવોની ભવિષ્યમાં થનારી અસરનો અહેસાસ થશે અને ખરાબ ટેવો છોડવા માટે સખત મહેનત કરશે.

વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક, શિક્ષણ સંબંધિત અવરોધોને ઉકેલવા તરફનું પ્રથમ પગલું છે. તે વિદ્યાર્થીને વધુ સારીરીતે કામગીરી કરવા અને જ્ઞાનનો વધુ સારો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

માનવગુરુ

માનવગુરુ

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.

Facebook Twitter Instagram Linkedin Youtube