અમે છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી અમારા પૂત્ર માટે યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા હતા. પરંતુ તેમાં અમને સફળતા મળતી નહતી. મારી પુત્રીનું સગપણ થઈ ગયું હતું. પરંતુ દીકરાની સગાઈમાં આવતી બાધા અને આર્થિક સંકડામણને કારણે અમે દીકરીનાં લગ્નની પ્રક્રિયા આગળ વધારી શકતા નહતા.
દીકરાનાં લગ્ન માટે અનેક કન્યાઓ જોઈ પણ બંને પક્ષની હા હોય તો ક્યારેક કુંડળી ન મળે અથવા લગભગ નક્કી જ હોય અને સંબંધ માટે ના આવી જાય તેવું થતું હતું. તેને કારણે અમારી ચિંતા વધી રહી હતી.
અમે અમારા બાળકો અને તેમના ભવિષ્ય વિશે ચિંતિત હતા ત્યારે એક દિવસ, અમને માનવ ગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન અંગે જાણવા મળ્યું. અને જ્યારે અમે સાંભળ્યું કે ઘણા માતાપિતાને તેમનાં બાળકોનાં લગ્ન કરવામાં મદદ મળી છે, ત્યારે અમે માનવ ગુરુનાં માર્ગદર્શનને અનુસરવાનું શરૂ કર્યું. ત્રણ જ મહિનાના ગાળામાં, અમે અમારી આર્થિક સ્થિતિમાં બદલાવ અનુભવ્યો. આર્થિક સ્થિરતા પ્રાપ્ત થતાં, અમે અમારી પુત્રીનાં લગ્ન માટે એક ભવ્ય સમારોહ ગોઠવ્યો અને સન્માન સાથે તેના લગ્ન કરાવ્યા. આ સાથે, અમને અમારા પુત્ર માટે યોગ્ય જીવનસાથી મળતા તેના લગ્ન પણ સંપન્ન થયા છે. આજે મારા બંને બાળકો તેમના લગ્ન જીવનમાં ખુશ છે અને ખુશહાલ જિંદગી જીવી રહ્યાં છે.
આ દુનિયામાં અમે એવી કોઈ વ્યક્તિ નથી જોઈ કે જે દરેક પરિવારનાં જીવનમાં પરીવર્તન લાવી શકે અને તે પણ 9 થી 180 દિવસની અંદર. માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુની આ વિશિષ્ટતા છે. અમારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ અને માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજી અને તેમનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનનો આભાર માનવા માંગીએ છીએ. હું આ વિશ્વનાં દરેકને વિનંતી કરીશ કે જો તેઓ કોઈપણ પ્રકારની જીવન સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય તો તે કૃપા કરીને માનવગુરુનાં અનન્ય માર્ગદર્શનના સંપર્કમાં આવે.