દિવાળી – હર્ષ, ઉલ્લાસ અને રોશનીનો તહેવાર છે તે અનિષ્ટ ઉપર સારાઈ, અંધકાર ઉપર પ્રકાશ અને અજ્ઞાનતા પર જ્ઞાનની પ્રતીકાત્મક જીતને રજૂ કરે છે! ‘દીપ પ્રતિપાદ ઉત્સવ’ જેને સામાન્યરીતે દિવાળી તરીકે ઓળખવામાં આવે છે તે પ્રકાશને તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત દર્શાવે છે. દીપ એટલે દીવો, પ્રતિપાદ એટલે શરૂઆત અને ઉત્સવ એટલે ઉજવણી. તે એક દિવસીય તહેવાર નથી.
વિવિધ ધર્મોમાં દિવાળીની ઉજવણી પાછળ વિવિધ ઐતિહાસિક કથાઓ છે. પ્રાચીન વૈદિક સંસ્કૃતિ અને પરંપરાનાં અનુયાયીઓ માટે મુખ્યત્વે હિન્દુ તહેવાર તરીકે ઓળખાય છે, જ્યારે આ તહેવાર શીખ, જૈનો અને બૌદ્ધો જેવા અન્ય ધર્મો દ્વારા પણ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હિન્દુઓ આ દિવસે ભગવાન કૃષ્ણ દ્વારા નિર્દયી રાક્ષસ નરકાસુરનો વધ કરવામાં આવતા ઉજવે છે. આ દિવસે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષનાં વનવાસથી પાછા આવ્યા હતા, અને અયોધ્યાનાં લોકોએ આ દિવ્ય ત્રિપુટીનું શેરીએ શેરીએ દીવા પ્રગટાવી સ્વાગત કર્યું હતું. ઉત્સવનાં દિવસોમાં દીવડાઓ પ્રગટાવવાનો આ રિવાજ આજે પણ યથાવત્ છે. જૈન અને બૌદ્ધ લોકોની છે ઉજવણીને ટેકો આપવા માટે પોતાની ઐતિહાસિક ઘટનાઓ છે. જૈનોમાં 24માં તીર્થંકર મહાવીર નિર્વાણ પ્રાપ્ત થયા તે નિમિત્તે આ દિવસે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ગૌતમ બુદ્ધ 18 વર્ષ પછી કપિલાવસ્તુમાં પાછા આવ્યાં ત્યારે બૌધ્ધોએ દીવા પ્રગટાવી ઉજવણી કરી. જેલમાંથી ગુરુ હરગોવિંદ ઘરે પાછા આવવા માટે શીખ લોકો આ દિવસને ઉજવે છે.
ચાલો આપણે આ ઇતિહાસને એક બાજુ રાખીએ અને દિવાળીની ઉજવણી માટે હાલની પરિસ્થિતિ વિશે વિચાર કરીએ. કેટલા લોકો હાલમાં દિવાળી ખુશીથી ઉજવે છે?
હાલની આ કોવિડ -19 મહામારી આઠ કરોડ વ્યકિતઓને બેકાર બનાવી ચૂક્યો છે, ત્યારે આ પરેશાનીનાં સમયમાં આપણે આ દિવાળી 2020 ઉત્સવ કેવીરીતે મનાવીએ છીએ ? આ મહામારીએ આખા વિશ્વને આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક રીતે બરબાદ કરી દીધું છે. લોકો વિવિધ વેપારમાં ભારે નુકસાનનો અને પડતીનો અનુભવ કરી રહ્યા છે.
આ પરિસ્થિતી ફક્ત એક જ વ્યક્તિને નહીં પરંતુ આખા કુટુંબને અસર કરે છે. આવા સંજોગોમાં તેઓ દિવાળી કેવી રીતે ઉજવે છે? આવી પરિસ્થિતિમાં પણ ભારતીયો બીજા પાસેથી પૈસા ઉધાર લઈને દિવાળીની ઉજવણી કરે છે. તે કદાચ ડરને કારણે હોઈ શકે છે કે જો તેઓ પૂજા અને ધાર્મિક વિધિઓ નહીં કરે તો દેવી-દેવતાઓ તેમનાથી નારાજ થઈ જશે.
દિવાળી દરમિયાન આપણે ઘર / કાર્યસ્થળની સઘન સફાઈ કેમ કરીએ છીએ?

દિવાળી નિમિત્તે, આપણે ઘર / કાર્યસ્થળને સાફ કરીએ છીએ અને ઘરમાંથી નકામી, ન ચાલતી સામગ્રી ફેંકી દઇએ છીએ.
ઘડિયાળ, ટેલિવિઝન, મિક્સર, પંખા, કમ્પ્યુટર, લેપટોપ, વગેરે જેવી ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અથવા તૂટેલી વસ્તુઓ જેમકે ઝૂમ્મર, કાચની વસ્તુઓ જેવી કે પ્લેટ, ફોટો
ફ્રેમ્સ, ફૂલદાની, ફર્નિચર વગેરે ઘર/કાર્યસ્થળમાંથી હટાવવું ખૂબ આવશ્યક છે. આ તૂટેલા પદાર્થો જીવનશક્તિમાં પણ અવરોધ લાવી શકે છે.
નકામી વસ્તુઓ ઘર/કાર્યસ્થળમાં વૈશ્વિક ઊર્જાનાં પ્રવાહને અવરોધે છે. જ્યારે આપણે આ અનિચ્છનીય ચીજોને દૂર કરીએ છીએ, ત્યારે વૈશ્વિક ઉર્જા સરળતાથી વહે છે અને કુટુંબનાં દરેક સભ્ય ઘરની અંદર સ્વસ્થતા અને શાંતિ અનુભવે છે.
દિવાળી દરમિયાન આપણે આપણાં ઘરોને કેમ પેઇન્ટ કે વ્હાઇટવોશ કરીએ છીએ?
જો દિવાલોની પેઇન્ટિંગનો રંગ ઉતરી ગયો છે અથવા દિવાલોને નુકસાન થયું છે, તો તેનાથી તે વિસ્તારની આસપાસ નકારાત્મકતા પેદા થાય છે. ઘરને કલર અથવા વ્હાઇટવોશ કરાવવાથી ઘરની અંદર સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.

ઘરને પેઈન્ટિંગ અને વ્હાઇટવોશ કરવાથી જીવજંતુઓનો નાશ કરવામાં પણ મદદ મળે છે. દિવાળી શિયાળાની ઋતુમાં આવે છે અને શિયાળા દરમ્યાન જંતુઓ ઉછરે છે. ઘરમાં પેઇન્ટિંગ કરાવવાથી અથવા વ્હાઇટવોશ કરવાથી જીવજંતુઓ દૂર રહે છે. અને તે ઘર વ્યવસ્થિત અને ખુશનુમા રાખે છે.
દિવાળી દરમિયાન આપણે ભવ્ય પૂજા કેમ કરીએ છીએ?

એવું માનવામાં આવે છે કે, દિવાળી નિમિત્તે ભવ્ય પૂજા કરવાથી સંપત્તિની દેવી મહાલક્ષ્મીનાં આશીર્વાદ મેળવવામાં મદદ મળી શકે છે. ધાર્મિક વિધિ ઘરનાં લોકોમાં સમૃદ્ધિ, સંપત્તિ, આરોગ્ય અને વિપુલતાને આમંત્રણ આપવા માટે કરાતી હોવાનું મનાય છે.
આપણે દિવાળી દરમિયાન શા માટે ઘણી બધી મીઠાઈઓ, નાસ્તા બનાવીએ છીએ અને નવા કપડાં પહેરીએ છીએ?
દિપોત્સવ દરમિયાન આપણે જાતભાતની અને મનભાવતી પરંપરાગત મીઠાઈઓ અને નાસ્તા બનાવીએ છીએ. દિવાળીની મીઠાઈઓ અને નાસ્તાનો ઉપયોગ પૂજા માટે તેમજ આપણાં નજીકનાં અને પ્રિયજનોને ભેટ આપવા માટે કરીએ છીએ. દિવાળીમાં ભેટ, મીઠાઇઓ અને એકબીજાને દિવાળીની શુભેચ્છાની આપલેથી કુટુંબ, મિત્રો, સહકર્મીઓ વગેરે વચ્ચે સારા સંબંધો બનાવવામાં મદદ મળે છે અને વેપારનાં લાંબા ગાળાનાં જોડાણમાં પણ મદદ મળે છે.
ઉત્સવ દરમ્યાન નવા કપડાં પહેરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તે આપણામાં સકારાત્મકતાની ભાવના પણ લાવે છે.

દિવાળી દરમિયાન આપણે મુખ્ય દરવાજાને કેમ વધુ મહત્વ આપીએ છીએ?

મુખ્ય દરવાજાને હંમેશા ફૂલો, આંબાના પાંદડાઓ અને કેળાનાં નાના છોડ, દિવાળી લાઇટિંગ અને દિવાની સજાવટ વગેરેથી શણગારવામાં આવે છે. આપણે મુખ્ય દરવાજાની બહાર સુંદર રંગોળી અને દેવી લક્ષ્મીનાં પગલાં તેમજ સાથીયા પણ દોરી છીએ. આ લક્ષ્મીજીને આપણા ઘરોમાં પ્રવેશ કરવા અને સમૃદ્ધિ, સંપત્તિ અને સુખ લાવવાનું આમંત્રણ છે. આ બધી પ્રવૃત્તિઓ દેવતાઓ, ધાર્મિક વિધિઓ, તહેવારો અને ઉજવણીમાં આપણી માન્યતા અને વિશ્વાસનો પાયો નાખે છે.
જો કોઈ પૂછે, “તમે ક્યારેય ભગવાન કે દેવીને જોયા છે? તો જવાબ સ્પષ્ટ હશે “ના”, અને જો તમે પૂછશો, “ભગવાન/દેવી ક્યાં છે?” જવાબ હશે તે સર્વત્ર છે. ભગવાન/દેવી દ્રશ્યમાન નથી પણ બધે હાજર છે. તે જ રીતે, બ્રહ્માંડમાં એક અદૃશ્ય જીવનશક્તિ છે જેને આપણે જોઈ શકતા નથી અને તે પણ સર્વત્ર હાજર છે, જે વૈશ્વિક ઉર્જા છે.
જ્યારે ભગવાન/દેવી અને વૈશ્વિક ઉર્જા, બંને અદ્રશ્ય છે અને દરેક જગ્યાએ હાજર છે, ત્યારે આપણે ભગવાન/દેવીને વૈશ્વિક ઉર્જા કેમ નહીં કહીએ? જ્યારે આપણે લક્ષ્મીને આપણા ઘરોમાં આમંત્રણ આપીએ છીએ, ત્યારે આપણે આપણાં ઘરોમાં વૈશ્વિક ઉર્જાને આમંત્રણ આપીએ છીએ.
દરેક ધર્મમાં તેમના પોતાના સર્વોપરી ભગવાન હોય છે – જેમ કે હિન્દુઓમાં ભગવાન શિવ છે, મુસ્લિમોમાં અલ્લાહ છે અને ખ્રિસ્તીઓમાં ઈસુ છે તે જ પ્રમાણે સૃષ્ટિમાં સર્વોપરી ભગવાન વૈશ્વિક ઉર્જા છે. વૈશ્વિક ઉર્જાએ સાર્વત્રિક સર્વોચ્ચ ભગવાન છે. આ વૈશ્વિક ઉર્જા ભલે તમે કોઈપણ ધર્મનાં કેમ ન હોય જીવનમાં તમને જે જોઈએ છે તે આપે છે.
ફક્ત તહેવારની ઉજવણી અને ભગવાન / દેવી અથવા વૈશ્વિક ઉર્જાને આપણા ઘરોમાં આમંત્રિત કરવાથી આપણને જીવનમાં જે જોઈએ છે કે ઇચ્છીએ છે તે નહીં પ્રાપ્ત થાય. તેના થકી ફક્ત 15 દિવસ અથવા એક મહિના માટે ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં મદદ મળશે. પરંતુ તહેવારની ઉત્તેજના પૂર્ણ થયા પછી નિત્ય સમસ્યાઓ પુનઃ આપણને ઘેરી લેશે.
આસપાસનું સ્થળ તે જગ્યા છે જ્યાં આપણે આપણો મોટાભાગનો સમય પસાર કરીએ છીએ. આપણે સામાન્ય રીતે આપણા ઘર/કાર્યસ્થળમાં મહત્તમ સમય પસાર કરીએ છીએ. 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થળોએ આશરે 20 કલાક પસાર કરીએ છીએ.
માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ જ્ઞાન એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે અને તે પ્રાચીન ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ પર આધારિત છે. તે સમગ્ર પરિવાર માટે પછી તે કોઈપણ ધર્મનું કેમ ન હોય તેમને 9 થી 180 દિવસમાં માત્ર વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં લાવીને આનંદમય જીવન અથવા સુખી જીવનનો માર્ગ દર્શાવે છે.
કુટુંબનાં પ્રત્યેક સભ્યનાં શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાની પોતાની કંપનીય તરંગ હોય છે. અને તે જ્યાં રહે છે તે સ્થળની પણ પોતાની કંપનીય તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપનીય તરંગ છે. જ્યારે કુટુંબનાં સભ્યો અને તે સ્થાન જ્યાં તેઓ રહે છે તે સંબંધિત તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય ત્યારે આપમેળે શરીરનાં કરોડો કોશિકાઓને જ્યારે આવશ્યક હોય ત્યારે વૈશ્વિક ઉર્જા પૂરી પાડે છે.
જ્યારે શરીરનાં કરોડો કોષો અને અંગોને વૈશ્વિક ઉર્જા પ્રાપ્ત થશે ત્યારે તે આપમેળે વધુ સશક્ત અને સક્રિય બનશે. તે આખા શરીરની સરળ કામગીરીને સુનિશ્ચિત કરે છે. પરિણામે પરિવારનાં દરેક સભ્ય શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે મજબૂત બને છે.
જ્યારે તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનનું પાલન કરો છો, ત્યારે આગામી 9 થી 180 દિવસની અંદર તમે આનંદમય જીવન અથવા સુખી જીવનનો અનુભવ શરૂ કરી શકશો. આ દિવાળીનાં તહેવારની વાસ્તવિક સમૃદ્ધિ અને અર્થ છે.

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.